સુરક્ષા જવાનોના સાહસ અને બલિદાનોને સલામ કરવા દેશભરમાં પરાક્રમ પર્વ મનાવવામાં આવશે
Live TV
-
ભારતીય સુરક્ષા જવાનોના સાહસ અને બલિદાનોને સલામ કરવા માટે દેશભરમાં પરાક્રમ પર્વ મનાવવામાં આવશે
ભારતીય સુરક્ષા જવાનોના સાહસ અને બલિદાનોને સલામ કરવા માટે દેશભરમાં પરાક્રમ પર્વ મનાવવામાં આવશે. 28થી 30 સપ્ટેમ્બર સુધી અનેક કાર્યક્રમનું આયોજન થશે. સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થતાં દેશ પરાક્રમ પર્વ મનાવશે. દિલ્હીમાં યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ અને દેશભરમાં 35 સ્થાને પરાક્રમ પર્વની ઉજવણી માટે સમારંભ યોજાશે. ભારતીય કમાન્ડોએ 2 વર્ષ પહેલાં સીમા પર આતંકવાદીઓની અનેક છાવણી નષ્ટ કરી દીધી હતી. સંરક્ષણમંત્રીએ આ પ્રસંગે બહાદુર જવાનોના પરાક્રમને બિરદાવ્યું હતું.
