સુશાંતસિંહ કેસમાં ડ્રગ્સ સાથે જોડાયેલી કડીની તપાસ માટે NCB ફરી રિયા ચક્રવર્તીની કરશે પૂછપરછ
Live TV
-
રિયાના ભાઈ શૌવિક અને હાઉસ સ્ટાફ સેમ્યુઅલ મિરાન્ડાને કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુના કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની એનસીબી દ્વારા આજે ફરી પુછપરછ કરવામાં આવશે. રવિવારે એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીની છ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. તો મુંબઈની એક કોર્ટે માદક પદાર્થના તપાસ સંબંધિત કેસમાં રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાને 9 સપ્ટેમ્બર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મિરાન્ડા સુશાંતસિંહ રાજપૂતનો હાઉસ મેનેજર હતો. આ બંનેની શનિવારે ધરપકડ કરાઈ હતી.
