સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સીટીમાં ઓલ ઈન્ડિયા ઈલેકશન કમિશનર્સ કોન્ફરન્સ યોજાઈ
Live TV
-
નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ ટેન્ટ સીટીમાં આજ થી બે દિવસ સુધી ઓલ ઈન્ડિયા ઈલેકશન કમિશનર્સ કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સનું આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ઉદ્દઘાટન કર્યું હતું. 28 મી અખિલ ભારતીય ચૂંટણી કમિશનર્સની આ પરિષદમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચના મતદાર જાગૃતિ અંગેના પ્રયત્નો સરાહનીય છે. આ પરિષદમાં લોકશાહીનું આમૂલ મજબૂતીકરણ કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. રાજ્યપાલે મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓની ઝાંખી કરાવતા દસ્તાવેજોનું અને સને 2018ના આંકડાકીય અહેવાલનું વિમોચન પણ કર્યું હતું.
