હરિયાણાના જિંદમાં ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભા યોજાઈ
Live TV
-
જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાથી ત્યાંનો વિકાસ થશે, જ્યારે કલમ 35-એ ની હટાવવીએ એક સીમાચિન્હ રૂપ છે
જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાથી ત્યાંનો વિકાસ થશે, જ્યારે કલમ 35-એ ની હટાવવીએ એક સીમાચિન્હ રૂપ છે, તેમ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે હરિયાણાના જિંદ ખાતેની જાહેરસભાને સંબોધતા જણાવ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અમારી સરકારે સારું કામ કર્યું છે, પ્રધાનમંત્રીએ ક્યારેય વોટ બેન્કની ચિંતા કરી નથી. શાહે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને તેની સરકારની પ્રશંસા કરતાં જણાવ્યુ હતું કે, સમગ્ર દેશમાં હરિયાણાનું નામ ગૌરવપૂર્ણ તરીકે લેવાય છે. મનોહરલાલ ખટ્ટરે એક ટર્મમાં રાજયમાંથી ભ્રષ્ટાચારને દૂર કર્યો છે. હરિયાણાને કેરોસીન મુક્ત રાજ્ય બનાવ્યું છે. કન્યા જન્મદરના ક્ષેત્રમાં સારું કામ કર્યું છે અને હરિયાણાને આઠમાં સ્થાન પરથી પ્રથમ ક્રમે લાવ્યું છે
