હિંસા પ્રભાવિત સુદાનને ભારતે મોકલી આરોગ્ય મદદ, 25 ટન દવાઓ પહોંચાડી
Live TV
-
ભારત સરકારે સુદાનના લોકોને 25 ટન તબીબી સહાય પૂરી પાડી છે. એક સ્પેશિયલ ઈન્ડિયન એરફોર્સ C-17એ ગુરુવારે તબીબી સહાય લઈને સુદાન પહોંચ્યું હતું. ભારતીય રાજદૂત બીએસ મુબારકે સુદાનના ગવર્નર ફતહા અલહાઝ અહેમદ અને સામાજિક વિકાસ મંત્રી અહેમદ આદમ બખિતને આ તબીબી સહાય સોંપી હતી. આ અવસરે ગવર્નર મુબારકે કહ્યું કે, ભારત અને સુદાન વચ્ચે સ્વાસ્થયના ક્ષેત્રે મજબૂત સહયોગ છે અને ભારતે હંમેશા કટોકટીના સમયમાં સુદાનને સાથ આપ્યો છે. આ ઉપરાંત, રેડ સી સ્ટેટના ગવર્નર ભારત સરકારના તેના ઉદાર સમર્થન બદલ આભાર માન્યો છે. તો, સામાજિક વિકાસ મંત્રીએ જણાવ્યું કે, ભારત સરકારની આ તબીબી સહાય સુદાનની ઘણી હોસ્પિટલોને તેમના દર્દીઓની સેવા કરવામાં મદદ કરશે.
