2024-25 સુધીમાં ઢાંચાગત વિકાસ પર 1લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે સરકારઃ નાણામંત્રી
Live TV
-
લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહયુ, બજેટમાં થયેલી જોગવાઈઓને કારણે રોકાણ અને વિકાસને મળશે વેગ - સંસદના બજેટ સત્રના પ્રથમ તબક્કાનો આજે અંતિમ દિવસ
બજેટ સત્રના પ્રથમ તબક્કાનો આજે છેલ્લો દિવસ છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદોને ગૃહમાં વ્હીપ આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે, બજેટ અંગે લોકસભા અને રાજ્યસભામાં થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. નાણામંત્રીએ જણાવ્યું હતું, કે રોકાણોને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા લેવાયેલા 13 કાર્યક્રમોના પરિણામો મળવાના શરૂ થઇ ગયા છે. અર્થતંત્ર સુધરી રહ્યું હોવાના સાત જેટલા સંકેત મળ્યા છે.
પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ થયું હતું. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા બજેટ સત્રના પ્રથમ તબક્કાની બેઠક આ રીતે આજે પૂરી થશે. હવે બીજી માર્ચે બજેટ સત્રના બીજા તબક્કાની બેઠક મળશે. આ સત્ર ત્રણ એપ્રિલ સુધી ચાલશે.
વધુમાં નાણામંત્રીએ કહ્યું કે, 2024-25 સુધીમાં ઢાંચાગત વિકાસ પર એક લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે, યુવાઓની પ્રગતિ માટે પણ સરકારે અનેક પગલાં લીધા છે. હાલમાં રાજ્યસભામાં નાણામંત્રીનો જવાબ ચાલુ છે.