BJP એક મહિના સુધી ચલાવશે રાષ્ટ્રવ્યાપી સંપર્ક અભિયાન
Live TV
-
લોકોને કલમ 370 રદ્દ કરવા અંગેના નિર્ણયની મહત્વતા સમજાવશે
ભાજપાએ લોકોને કલમ 370 અને 35-A રદ કર્યાના કેન્દ્ર સરકારના નિર્ણયની મહત્વતા જણાવવા એક મહિના સુધી ચાલનાર રાષ્ટ્રવ્યાપી સંપર્ક અભિયાનની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, પાર્ટી નેતા, પદાધિકારી, મંત્રી, સાંસદો 35 મોટા શહેરો અને 370 નાના શહેરોમાં જનસભા યોજશે. રાષ્ટ્રવ્યાપી સંપર્ક અભિયાનમાં કાશ્મીર ખીણ વિસ્તારમાં ચાર સ્થળ સહિત ભૂતપૂર્વ જમ્મુ-કાશ્મીર રાજ્યના નવ સ્થળની પસંદગી કરવામાં આવી છે. આ અભિયાન એકથી 30 સપ્ટેમ્બર વચ્ચે આયોજીત થશે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, અનુચ્છેદ 370ને રદ કરવું ઐતિહાસિક છે.
