CBSE ધોરણ 10ની પરીક્ષા રદ, ધોરણ 12ની સ્થગિત
Live TV
-
દેશમાં કોરોનાનાં વધતા પ્રકોપને ધ્યાનમાં લેતા CBSE ની બોર્ડની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ શિક્ષણમંત્રી અને મંત્રાલયનાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો કે CBSE ધોરણ 10ની પરીક્ષા રદ રહેશે અને CBSE ધોરણ 12ની સ્થગિત કરવામાં આવી છે.
શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ ઇન્ટરનલ એસેસમેન્ટને આધારે આપવામાં આવશે અને ધોરણ 12ની પરીક્ષા 30 મે સુધી સ્થગિત કરવામાં આવી છે, એટલે કે હવે ધોરણ 12ની પરીક્ષા વિશે 1 જૂન પછી નિર્ણય લેવામાં આવશે.
