CCSની બેઠકમાં મૌન પાળી શહીદોને અપાઇ શ્રદ્ધાંજલિ
Live TV
-
બેઠકમાં ગઈકાલે થયેલા પુલવામા આતંકવાદી હુમલા, સુરક્ષાકર્મીઓની સ્થિતિ , અને પગલાં અંગે ચર્ચા વિચારણા થઈ હતી.
કેન્દ્રીય મંત્રીમંડળની સુરક્ષા બાબતોની સમિતિની બેઠક સંપન્ન થઈ ચૂકી છે. બેઠકમાં ગઈકાલે થયેલા પુલવામા આતંકવાદી હુમલા, સુરક્ષાકર્મીઓની સ્થિતિ , અને પગલાં અંગે ચર્ચા વિચારણા થઈ હતી. પ્રધાનમંત્રી મોદીએ , દિલ્હી બહારના તમામ રાજકીય કાર્યક્રમ રદ કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી , કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠકમાં , ગૃહમંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ , અને નાણા મંત્રી અરૂણ જેટલી ઉપરાંત , સૈન્યની ત્રણેય પાંખના વડા , અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ભાગ લીધો હતો. બેઠકમાં ગૃહમંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે , હુમલાના ઘટના ક્રમથી સમિતિને વાકેફ કરી હતી
