CDS બિપિન રાવતના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને લવાયો; ગૃહમંત્રી અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
દેશનાં પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્નિનાં પાર્થિવ દેહને દિલ્હીનાં કામરાજ માર્ગ સ્થિત તેમના સરકારી નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને 11 વાગ્યાથી બપોરે 12:30 કલાક સુધી લોકો તેમનાં અંતિમ દર્શન કરી શકશે, તેમજ બપોરે 12:30 થી 1:30 સુધી સેનાનાં જવાનો શ્રધ્ધાંજલિ આપી શકશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સહિત ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુુ્ષ્કરસિંહ ધામી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદ સહિતનાઓએ દિવંગત બિપિન રાવતના અંતિમ દર્શન કરી શ્રધ્ધાંજલિ આપી હતી.
