Skip to main content
Settings Settings for Dark

EDએ પંજાબ એક્સાઇઝ કમિશનરના ચંદીગઢના આવાસ પર દરોડા પાડ્યા

Live TV

X
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ આજે ​​(બુધવાર) સવારે લગભગ 7 વાગ્યે પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમાં પંજાબ એક્સાઇઝ વિભાગના કમિશનર વરુણ રુજમના ચંદીગઢ નિવાસનો સમાવેશ થાય છે. આ રહેઠાણ સેક્ટર 20માં છે.

    આ સિવાય મોહાલીના બાકરપુરમાં જામફળ કૌભાંડમાં વરુણ રૂજમની પત્નીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીની આ કાર્યવાહીને દિલ્હી સરકારના કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે પણ જોડવામાં આવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે EDએ આ કથિત કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહ પહેલાથી જ જેલમાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply