EDએ પંજાબ એક્સાઇઝ કમિશનરના ચંદીગઢના આવાસ પર દરોડા પાડ્યા
Live TV
-
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ આજે (બુધવાર) સવારે લગભગ 7 વાગ્યે પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમાં પંજાબ એક્સાઇઝ વિભાગના કમિશનર વરુણ રુજમના ચંદીગઢ નિવાસનો સમાવેશ થાય છે. આ રહેઠાણ સેક્ટર 20માં છે.
આ સિવાય મોહાલીના બાકરપુરમાં જામફળ કૌભાંડમાં વરુણ રૂજમની પત્નીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીની આ કાર્યવાહીને દિલ્હી સરકારના કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે પણ જોડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે EDએ આ કથિત કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહ પહેલાથી જ જેલમાં છે.