India Fight Corona : કોવિડ 19નો રિકવરી રેટ 77 ટકાની નજીક પહોંચ્યો
Live TV
-
અત્યાર સુધી 29 લાખથી વધારે લોકો થયા સ્વસ્થ
દેશમાં સરકારના પ્રયત્નોથી કોવિડ-19ની સ્થીતિમાં સુધારો થયો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 77 ટકા નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ દરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જે 1.76 ટકા થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 60 હજાર 868 લોકો સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં કુલ 29 લાખથી વધુ લોકોએ કોરોનાને માત આપી છે. તે સાથે છેલ્લા 24 કલાકમાં 8 લાખ 40 હજાર થી વધુ લોકોનો ટેસ્ટ થયો છે. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 23 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. સરકાર તરફથી વ્યાપક તપાસની પ્રતિબધ્ધતાના કારણે દેશમાં કોવિડ તપાસની પ્રક્રિયામાં ઝડપ આવી છે
