NCP-કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, શિવસેનાને સમર્થન મુદ્દે બન્ને પક્ષો વચ્ચે ચર્ચા હજુ બાકી
Live TV
-
મહારાષ્ટ્રમાં શિવસેના 56, એનસીપી 54 અને કોંગ્રેસ 44 ધારાસભ્યો ધરાવે છે
બીજી તરફ શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્ચે સરકાર રચવા મંત્રણાઓનો દોર ચાલતો રહ્યો હતો. કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓએ ,મુંબઈ પહોંચીને એનસીપીના વડા શરદ પવાર સાથે મુલાકાત પણ કરી હતી. બંને પક્ષોએ બેઠક બાદ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, શિવસેનાને સમર્થન આપવાને મુદ્દે બંને પક્ષોએ હજી વધુ ચર્ચા વિચારણા કરવાની બાકી છે. આ ચર્ચા વિચારણા પછી જ શિવસેના સાથે વાત થશે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ના ,રાજયપાલના નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મહારાષ્ટ્રમાં શિવસેના 56, એનસીપી 54 અને કોંગ્રેસ 44 ધારાસભ્યો ધરાવે છે.
