NIAએ જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફંડિંગના સંદર્ભમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા
Live TV
-
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી - NIAએ આજે જમ્મુ અને કાશ્મીરમાં ટેરર ફંડિંગ કેસમાં 13 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIAએ જમાત-એ-ઇસ્લામી સહિત વિવિધ ગેરકાયદેસર સંગઠનો દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંક અને વિધ્વંસક પ્રવૃત્તિઓના સંબંધમાં બડગામ, શોપિયાં, પુલવામા, શ્રીનગર અને અનંતનાગ જિલ્લામાં દરોડા પાડ્યા હતા.
અગાઉ 11 મેના રોજ NIAએ બડગામ અને બારામુલ્લામાં સર્ચ હાથ ધર્યું હતું. 4 મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં 16 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. NIA કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી ભંડોળના નેટવર્કનો પર્દાફાશ કરવાના તેના સતત પ્રયાસોમાં પ્રતિબંધિત જમાત-એ-ઈસ્લામીની અલગતાવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી રહી છે. ટેરર ફંડિંગના મામલામાં 28 ફેબ્રુઆરી 2019ના રોજ જમાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
