NIA ને વધુ શક્તિશાળી બનાવવા માટેના બે મહત્વના બિલ સંસદમાં રજૂ
Live TV
-
આ વિધેયક પ્રમાણે જ એનઆઈએના ડીજીને પણ શક્તિશાળી બનાવવામાં આવશે. જે મામલાઓની તપાસ થઈ રહી છે, ડીજીના આદેશથી આતંકવાદીઓ અને અપરાધીઓની સંપતિ પણ જપ્ત કરી શકાશે.
કેન્દ્ર સરકારે આતંકવાદ પર બેગણો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે. આતંકી ગતિવિધિઓ પર લગામ અને આતંકવાદીઓની તપાસ માટે સોમવારે લોકસભામાં બે મહત્વના વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલય તરફથી રજૂ કરાયેલ આ વિધેયકમાંથી એક એનઆઈએ કાયદામાં સંશોધન સાથે જોડાયેલ છે, તો બીજા વિધેયક દ્વારા બિનકાયદાકીય ગતિવિધિ અધિનિયમમાં સંશોધનનો પ્રસ્તાવ છે.
NIA કાયદામાં સંશોધનથી એજન્સીને સાયબર ક્રાઈમ અને માનવ તસ્કરી સાથે જોડાયેલ ઘટનાઓની તપાસની પણ મંજૂરી મળી જશે. તેની સાથે જ જો વિદેશી જમીન પર ભારતીય હિત અથવા નાગરિકોને નુકશાન પહોંચે છે, તો એવી ઘટનાઓની પણ તપાસ કરી શકાશે, તેવું પ્રાવધાન કરવામાં આવશે.
