PM એ વારાણસીમાં બીએચયુના સભાગૃહમાં સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના ઇનામ વિતરણ સમારંભમાં ભાગ લીધો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં બીએચયુનાં સ્વતંત્ર સભાગૃહમાં સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાનાં ઇનામ વિતરણ સમારંભમાં સહભાગી થયાં હતાં. તેમણે કાશી સંસદ પ્રતિયોગિતા પરની પુસ્તિકા અને કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ કાશી સંસદ જ્ઞાન પ્રતિયોગિતા, કાશી સંસદ ફોટોગ્રાફી પ્રતિયોગિતા અને કાશી સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના વિજેતાઓને સન્માનિત કર્યા હતા તથા વારાણસીના સંસ્કૃત વિદ્યાર્થીઓને પુસ્તકો, ગણવેશ, સંગીતનાં સાધનો અને ગુણવત્તાયુક્ત શિષ્યવૃત્તિનું વિતરણ પણ કર્યું હતું. તેમણે કાશી સંસદ ફોટોગ્રાફી પ્રતિયોગિતા ગેલેરીની પણ મુલાકાત લીધી હતી અને સહભાગીઓ સાથે "સાંવતી કાશી" થીમ પર તેમના ફોટોગ્રાફ એન્ટ્રીઓ મેળવનારા સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ પ્રાચીન શહેરની ઓળખ મજબૂત કરનારી યુવા પેઢીનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતનાં યુવાનો અમૃત કાળમાં દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશે એ ગૌરવ અને સંતોષની વાત છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "કાશી શાશ્વત જ્ઞાનની રાજધાની છે." તેમણે આજે કાશી સંસદ જ્ઞાન પ્રતિયોગિતા, કાશી સંસદ ફોટોગ્રાફી પ્રતિયોગિતા અને કાશી સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાનાં વિજેતાઓને સન્માનિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો તથા વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે વિજેતાઓની સૂચિમાં સ્થાન ન મેળવી શકે તેવા લોકોને પણ પ્રોત્સાહન આપ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કોઈ પણ સહભાગીનો પરાજય થયો નથી કે તેઓ પાછળ રહી ગયા નથી, તેના બદલે દરેક વ્યક્તિએ આ અનુભવમાંથી બોધપાઠ લીધો છે. તેમણે નોંધ્યું હતું કે, તમામ સહભાગીઓ પ્રશંસાને પાત્ર છે. આજે પ્રકાશિત થયેલી કોફી ટેબલ બુકમાં છેલ્લાં 10 વર્ષમાં કાશીના કાયાકલ્પની ગાથા છે.
છેલ્લાં 10 વર્ષમાં કાશીની પ્રગતિનો સ્વીકાર કરતી વખતે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ પણે કહ્યું હતું કે, આપણે સૌ ભગવાન મહાદેવની ઇચ્છાનું માત્ર સાધન છીએ. તેમણે મહાદેવના આશીર્વાદથી કહ્યું હતું કે, 'વિકાસ કા ડમરૂ' કાશીમાં છેલ્લા 10 વર્ષથી ગુંજી રહ્યો છે. કરોડો રૂપિયાની પરિયોજનાઓ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, શિવરાત્રી અને રંગભરી એકાદશી પહેલા કાશી આજે વિકાસનું પર્વ ઉજવી રહી છે. તેમણે કહ્યું હતું કે, 'વિકાસ કી ગંગા'ના માધ્યમથી દરેકે આ પરિવર્તન જોયું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કાશી માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ તે ભારતની શાશ્વત ચેતનાનું જીવંત કેન્દ્ર છે." કાશી અને વિશ્વનાથ ધામ જેવા 'તીર્થો' એ દેશના વિકાસની 'યજ્ઞશાળા' હતી, એમ તેમણે સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનાં સ્થળો સાથે ભારતની જ્ઞાન પરંપરાનાં જોડાણ પર પ્રકાશ પાડતાં કહ્યું હતું. કાશીનાં ઉદાહરણ મારફતે પોતાની વાત રજૂ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિવની ભૂમિ હોવાની સાથે-સાથે કાશી પણ બુદ્ધનાં ઉપદેશોનું; જૈન તીર્થંકરોનું જન્મસ્થળ તેમજ આદિ શંકરાચાર્ય માટે જ્ઞાનનું સ્થળ છે. તેમણે કાશીના સર્વવ્યાપક આકર્ષણને પણ પ્રકાશિત કર્યું કારણ કે સમગ્ર દેશ અને વિશ્વના અન્ય ભાગોમાંથી લોકો કાશીમાં આવે છે. આવી વિવિધતાના સ્થળે નવા આદર્શો જન્મે છે. નવા વિચારો પ્રગતિની સંભાવનાને પોષે છે.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશ સરકારનાં મંત્રીઓની સાથે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
