PM મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં મલેશિયાના તેમના સમકક્ષ અનવર ઈબ્રાહિમનું સ્વાગત કર્યું
Live TV
-
વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા, રણધીર જયસ્વાલે, તેમની મુલાકાત દરમિયાનના બંને નેતાઓના ફોટા શેર કર્યા
મલેશિયાના પ્રધાનમંત્રીએ PM મોદી સાથેની મુલાકાત બાદ દિલ્હીના રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઈબ્રાહિમે રાજઘાટ પર વિઝિટર બુક પર પણ હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમ આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરવાના છે. વિદેશ મંત્રી એસ જયશંકર તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમ સાથે પણ મુલાકાત કરશે. બંને દેશો આગામી વર્ષે ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીના બીજા દાયકામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહિમની મુલાકાત ભવિષ્ય માટે બહુ-ક્ષેત્રીય સહકાર એજન્ડા તૈયાર કરીને ભારત-મલેશિયા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો માર્ગ મોકળો કરશે, તેવું એમઇએ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
