PM લેશે બિહારનાં ભાગલપુરની મુલાકાત, રેત કલાકારે બનાવી PMની કલાકૃતિ
Live TV
-
રેતી કલાકાર મધુરેન્દ્ર કુમારે ભાગલપુરની મુલાકાતે આવઈ રહેલાં પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે એક રેતી કલા બનાવી છે. તેની ઊંચાઈ 20 ફૂટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ કલાકૃતિ 50 ટન રેતીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. તેમાં રાજ્યનો સાંસ્કૃતિક વારસો અને 'ભાગલપુરમાં આપનું સ્વાગત છે' નો સંદેશ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે ભાગલપુર પહોંચશે, જ્યાં તેઓ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો રજૂ કરશે, જે હેઠળ 9.7 કરોડથી વધુ ખેડૂતોને 21,500 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય સહાય મળશે. પ્રધાનમંત્રી મોદીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખેડૂતોને તેમનાં પાકનો યોગ્ય અને સારો ભાવ મળે.
આ માટે, 29 ફેબ્રુઆરી 2020 ના રોજ તેમણે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs)ની રચના અને વિકાસ માટે એક યોજના શરૂ કરી, જે ખેડૂતોને તેમના ઉત્પાદનોનું ઉત્પાદન અને માર્કેટિંગ કરવામાં મદદ કરે છે. પાંચ વર્ષમાં, આ યોજના હેઠળ 10,000 FPOsની રચના કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદી મોતીહારીમાં રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ સ્વદેશી જાતિઓ માટે શ્રેષ્ઠતા કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરશે. અહીં અદ્યતન IVF ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી સ્વદેશી જાતિઓનો વિકાસ થશે અને ખેડૂતોને આ તકનીકોમાં તાલીમ આપવામાં આવશે.
આ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદી બરૌનીમાં એક દૂધ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જેનો ઉદ્દેશ્ય 3 લાખ દૂધ ઉત્પાદકોને સંગઠિત બજાર પૂરું પાડવાનો છે. પ્રધાનમંત્રી મોદી કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 526 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વારિસલીગંજ-નવાડા-તિલૈયા રેલ્વે સેક્શન અને ઈસ્માઈલપુર-રફીગંજ રોડ ઓવર બ્રિજના ડબલિંગનું ઉદ્ઘાટન પણ કરશે.
મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી મોદી બપોરે 3:15 વાગ્યે DBT દ્વારા ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિની રકમ ટ્રાન્સફર કરશે. ભાગલપુરથી બપોરે 3:25 વાગ્યે ઉપડશે. તે જ સમયે, સભા સ્થળે 450 મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવ્યા છે. 4,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 800 મહિલા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવી છે. 13 સ્થળોએ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. બિહારના 12 જિલ્લાઓમાંથી ખેડૂતો આવી રહ્યા છે.
