Skip to main content
Settings Settings for Dark

UPનાં CM યોગી આદિત્યનાથે કર્યો નિર્દેશ, મહાકુંભમાં પાર્કિંગની જગ્યાઓનો યોગ્ય ઉપયોગ કરો

Live TV

X
  • મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ દરમિયાન ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન અંગે નિર્દેશ કર્યા છે. સોમવારે રાત્રે, તેમણે વીડિયો કોન્ફરન્સિંગથી વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં માઘ પૂર્ણિમાનાં અવસરે યોજાનારા મહાકુંભ સ્નાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

    મુખ્યમંત્રીએ કહ્યું કે મહાકુંભમાં ભક્તોની સંખ્યા વધી રહી છે અને 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે નિર્દેશ આપ્યો કે પાર્કિંગનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે અને 5 લાખથી વધુ વાહનો માટે બનાવેલી પાર્કિંગ સુવિધાનો યોગ્ય રીતે ઉપયોગ કરો. આ ઉપરાંત, મેળા પરિસરમાં કોઈ અનધિકૃત વાહન પ્રવેશ ન કરે તેની સંપૂર્ણ કાળજી રાખો.

    મુખ્યમંત્રીએ કહ્યું કે રસ્તાઓ પર વાહનોની લાઈનો ના હોવી જોઈએ. ભક્તોને પાર્કિંગથી મેળા પરિસર સુધી લઈ જવા માટે શટલ બસોની સંખ્યા વધારવી જોઈએ. તેમણે પ્રયાગરાજના તમામ રેલવે સ્ટેશનો પર શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને નિયમિત ટ્રેન સેવાઓ જાળવો. 

    સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવાની સૂચના આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે મહાકુંભની ઓળખ સ્વચ્છતા સાથે જોડાયેલી છે, તેથી સંગમ અને મેળાના પરિસરની નિયમિત સફાઈ થવી જોઈએ. ગંગા અને યમુનામાં પાણીનો પૂરતો પુરવઠો જળવાઈ રહેવો જોઈએ.  

    તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને, મંગળવારે ADM અને SDM સ્તરના 28 વહીવટી અધિકારીઓ સહિત ઘણા પોલીસ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. આ બધાની સેવાઓ જરૂરિયાત મુજબ લેવી જોઈએ. ટ્રાફિક વ્યવસ્થાપનમાં પોલીસ અધિકારીઓ તહેનાત હોવા જોઈએ.

    પ્રયાગરાજને જોડતા તમામ રૂટ પર પોલીસ પેટ્રોલિંગ ચાલુ રાખો. ક્રેન અને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવી જોઈએ. રેવા રોડ, અયોધ્યા-પ્રયાગરાજ, કાનપુર-પ્રયાગરાજ, ફતેહપુર-પ્રયાગરાજ, લખનૌ-પ્રતાપગઢ-પ્રયાગરાજ, વારાણસી-પ્રયાગરાજ જેવા બધા રૂટ પર ક્યાંય પણ ટ્રાફિક અવરોધ ન હોવો જોઈએ. પ્રયાગરાજથી પાછા ફરવાના બધા રૂટ સતત ખુલ્લા રાખવા. 

    મુખ્યમંત્રીએ વહીવટીતંત્રને એમ પણ કહ્યું કે પ્રયાગરાજ સાથે જોડાયેલા તમામ જિલ્લાઓના અધિકારીઓએ એકબીજા સાથે સંપર્ક અને સંકલન જાળવી રાખવું જોઈએ, જેથી વાહનોની અવરજવર સરળતાથી ચાલુ રહે. તેમણે તમામ અધિકારીઓને એમ પણ કહ્યું કે વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓએ ભક્તોની સલામતી અને સુવિધા માટે સતત સક્રિય રહેવું. 

    આ ઉપરાંત, મુખ્યમંત્રીએ સંત રવિદાસ જયંતિ નિમિત્તે રાજ્યભરમાં આયોજિત કાર્યક્રમો માટે વહીવટીતંત્રને સતર્ક રહેવાની સલાહ આપી હતી અને તમામ કાર્યક્રમો સુમેળભર્યા રીતે યોજવા માટે પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
apply