UPના મુગલસરાય જંકશનનું બદલીને પંડિત દિનદયાલ રેલવે સ્ટેશન કરાયું
Live TV
-
ઉત્તરપ્રદેશના મુગલસરાય જંકશનનું નામ બદલીને હવે દિનદયાલ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, રેલવે મંત્રી પિયુષ ગોયલ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અમિત શાહે ,વિરોધ પક્ષ મતબેન્કનું રાજકારણ રમી રહ્યો હોવાના આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ ઓ.બી.સી. બીલ અંગે ,પોતાનું વલણ સ્પષ્ટ કરે. રેલવે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં, રેલવે વ્યવસ્થામાં ,ઝડપી પ્રગતિ સધાઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીની પ્રેરણાથી પ્રદેશમાં રોકાણનું વાતાવરણ સર્જાયું છે.
