અમદાવાદઃ શ્રી બાલાજી મંદિરના 16માં બ્રહ્મોત્સવની કરાઈ ઉજવણી
Live TV
-
અમદાવાદ શહેરમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા શ્રી બાલાજી મંદિરનો 16મો બ્રહ્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ બ્રહ્મોત્સવ આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાશે. જેમાં તિરુપતિથી આવેલા વૈખાનસા આગમ પંડિતો દ્વારા કલિયુગ દેવમ શ્રી બાલાજીના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
પ્રથમ દિવસની શરૂઆતમાં ધ્વજા આરોહણ કરી બધા જ દેવતાઓને આમંત્રિત કરવામાં આવે છે. અને બ્રહ્મોત્સવ દરમિયાન ભગવાન બાલાજીને તેમના પ્રિય વાહન ગરુડ પર બિરાજમાન થાય છે અને ખૂબ જ વિદ્ધિપૂર્વક તેમની નગરયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. આ નગરયાત્રા અમદાવાદ શહેરના એસજી હાઇવે પર ફરીને નિજ મંદિર ખાતે પરત ફરી હતી. પાંચ દિવસ સુધી ઉજવવાતા આ ઉત્સવમાં રથયાત્રામાં દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા.
