અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિર આયોજિત 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
Live TV
-
અમદાવાદમાં નવભારત સાહિત્ય મંદિર આયોજિત 'કલમનો કાર્નિવલ' પુસ્તક મેળાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું હતું અને ત્યાં ઉપસ્થિત વિવિધ લેખકો સાથે વાર્તાલાપ કર્યો હતો. 20 ઓગસ્ટ, 2023 સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં વિવિધ વિષયોના 25,000 થી પણ વધુ પુસ્તકોનો સમાવેશ કરાયો છે.
