અમદાવાદ: જમીયતપુરાના યુવાનોનું સરાહનીય કામ, ઘરે-ઘરે જઇને કરી રહ્યા છે ઉકાળાનું વિતરણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન દરમ્યાન પોતાના ઉદબોધનમાં નાગરિકોને 7 વાતોનું પાનલ કરવાનું કહ્યું હતું. તે અંતર્ગત આયુષ મંત્રાલયની ગાઇડલાઇનના પાલનનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીના આ વિચારથી પ્રેરીત થઇ અમદાવાદ પાસે આવેલા જમીયતપુરા ગામના લોકોએ સામુહિક રક્ષા કવચ અભિયાનનો સ્વયંભુ પ્રારંભ કર્યો છે.
જેમાં ગામમાં આવેલાં સરકારી આયુર્વેદીક દવાખાનાના સહયોગથી , દરરોજ 45 લીટરથી પણ વધુ ઉકાળો બનાવવામાં આવે છે અને માઢવાસ મિત્રમંડળના યુવાનો ઘરે ઘરે જઇને ગામના તમામ લોકોને આ આયુર્વેદિક ઔષધિયુક્ત ઉકાળાનું વિતરણ કરે છે.
સ્વાદમાં ઉત્તમ અને કુદરતી રોગપ્રતિકારક શક્તિ વધારતો આ ઉકાળો, ગામની નજીક આવેલાં અડાલજ પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીને પણ , દરરોજ ગામના યુવાનો દ્વારા વિતરીત કરાય છે.
