અમદાવાદ : બોપલમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનું અનાવરણ
Live TV
-
નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા સી.કે.બોઝ આપશે હાજરી..
23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે.ત્યારે અમદાવાદમાં બોપલ ખાતે ન્યુ તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિસરમાં આગામી 22 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવશે..રાષ્ટ્રીય સૈનિક સંસ્થાના નેશનલ વેન ગાર્ડ સદસ્યો સર્વશ્રી આચાર્ય ડૉ.લોકેશજીના વરદ હસ્તે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે..આ પ્રસંગે જગદગુરુ શંકરાચાર્ય નરેન્દ્રાનંદજી, યોગેશ શ્રીધર, રમેશ અગ્રવાલ, લેફ્ટનન્ટ જનરલ ચંદર પ્રકાશ વધાવા, મેજર જનરલ અશોક સિંહ , ડૉ.એસ.કે.નંદા, અનિલ પ્રથમ સહિતના મહાનુભાવો હાજરી આપશે..
