અમદાવાદ શહેરમાં સુધરી રહેલી સ્થિતિના કારણે શ્રમિકો ફરી રહ્યા છે પરત
Live TV
-
રાજ્ય ના ધંધા રોજગારને મળશે વેગ- શ્રમિકોમાં પણ જોવા મળ્યો ઉત્સાહ
કોરોના મહામારીના પગલે અને લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં કામ કરતા અનેક શ્રમિકો પોતાના માદરે વતન જવા મજબુર બન્યાં હતાં. જો કે, પોતાના વતનમાં રોજગારી ન મળતાં હવે કેટલાંક પ્રવાસી શ્રમિકો ફરી ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદમાં પણ છેલ્લા કેટલાક દિવસથી સ્થિતિ સુધરતા શ્રમિકો કામ પર પરત ફરી રહ્યા છે.
જેના કારણે રાજ્યની વિવિધ કંપનીઓ ફરીથી ધમધમતી થઇ રહી છે અને અર્થતંત્ર ધીરે ધીરે ધબકતુ થઈ રહ્યું છે. બીજી તરફ કંપની માલિકો દ્વારા પણ પ્રવાસી શ્રમિકોની ખાસ કાળજી રાખીને કોરોના સામે રક્ષણ મળે, તે માટે હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે.
