લોક કલ્યાણ અર્થે તથા ધાન્યની રોપણી પહેલા આદિવાસી સમાજે કરી પરંપરાગત દેવપૂજા
Live TV
-
દરેક સમાજની પોતાની એક આગવી વિશેષતા હોય છે. દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ વર્ષોથી ચાલી આવતી પોતાની પરંપરાઓને , આજે પણ જીવન માની જતન કરી રહ્યો છે. રૂઢિગત માન્યતા પ્રમાણે આદિવાસી સમાજ આજે પણ લોક સુખાકારી માટે દેવ પૂજા કરી રહ્યો છે.
દર વર્ષે ગામની સુખાકારી માટે અને લોક કલ્યાણ અર્થે ધાન્યની રોપણી પહેલા સારો વરસાદ વરસે તે માટે ગ્રામજનો મળી પોતાના આરાધ્ય દેવોની ભક્તિભાવ પૂર્વક પૂજા કરે છે.
ગ્રામજનો સાથે મળીને આ પરંપરાને એક ઉત્સવની જેમ મનાવે છે અને સાથે મળી ભોજન પકવી ઉજાણી કરે છે. આદિવાસી યુવાનો પોતાની સંસ્કૃતિનું જતન કરી ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.
