Skip to main content
Settings Settings for Dark

અમરનાથ યાત્રા: 14 દિવસમાં 2.80 લાખથી વધુ ભક્તોએ બાબા બર્ફાનીની મુલાકાત લીધી

Live TV

X
  • ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ ગુફા મંદિર સુધી પહોંચે છે

    હાલ, અમરનાથ યાત્રા 2024 સતત ચાલુ છે. છેલ્લા 14 દિવસમાં 2.80 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ગુફા મંદિરમાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. ત્યારે આજરોજ 4 હજાર 669 મુસાફરોની બીજી બેચ ખીણ માટે રવાના થઈ હતી. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાની આગેવાની હેઠળના શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ (SASB) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે 29 જૂનથી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 2.80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા કરી છે.

    4,669 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ ખીણ તરફ રવાના થયો

    બે સુરક્ષા કાફલામાં ભગવતી નગર યાત્રી નિવાસથી 4,669 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ ખીણ તરફ રવાના થયો હતો. તેમાંથી 1,630 મુસાફરો, 74 વાહનોના એસ્કોર્ટેડ કાફલામાં ઉત્તર કાશ્મીરના બાલટાલ બેઝ કેમ્પ તરફ જવા સવારે 3:05 વાગ્યે જમ્મુથી નીકળ્યા હતાં. તો 3,039 મુસાફરોનું બીજું જૂથ 109 વાહનોના એસ્કોર્ટેડ કાફલામાં સવારે 3:05 વાગ્યે રવાના થયો હતો. આ ગુફા કાશ્મીર હિમાલયમાં સમુદ્ર સપાટીથી 3,888 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. 

    ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ ગુફા મંદિર સુધી પહોંચે છે

    ભક્તો પરંપરાગત દક્ષિણ કાશ્મીર પહેલગામ માર્ગ અથવા ઉત્તર કાશ્મીર બાલટાલ માર્ગ દ્વારા ગુફા મંદિર સુધી પહોંચે છે. ભક્તો 48 કિમી લાંબા પરંપરાગત પહેલગામ ગુફા મંદિર માર્ગ અથવા 14 કિમી લાંબા બાલટાલ માર્ગ દ્વારા મુસાફરી કરે છે. પહેલગામ માર્ગનો ઉપયોગ કરનારાઓને ગુફા મંદિર સુધી પહોંચવામાં ચારથી પાંચ દિવસ લાગે છે, જ્યારે બાલટાલ માર્ગનો ઉપયોગ કરનારાઓ ગુફા મંદિરની અંદર 'દર્શન' કર્યા, પછી તે જ દિવસે બેઝ કેમ્પમાં પાછા ફરે છે. આ વર્ષની યાત્રા 52 દિવસ પછી 29 ઓગસ્ટના રોજ શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધનના તહેવાર સાથે પૂર્ણ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply