અમરેલીઃ મતીરાળાની 'સખીઓ'ને ગ્રામ વિકાસ બદલ પુરસ્કૃત કરાશે
Live TV
-
સમગ્ર વિશ્વમાં આગામી ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેની ઉજવણીના ભાગરૂપે ૭ માર્ચના ગ્રામ વિકાસના કેન્દ્રીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે અમરેલી જિલ્લાના લાઠીના મતીરાળાની 'સખીઓ'ને ગ્રામ વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કૃત કરવામાં આવશે.
નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત સમગ્ર દેશમાંથી પસંદગી પામેલા ૩૦ જેટલા સ્વસહાય જૂથોમાંથી આખા ગુજરાતમાંથી એકમાત્ર મતીરાળાની બહેનોનું મંડળ પાંચમા ક્રમે આવતા બહેનોને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનાર કાર્યક્રમમાં પુરસ્કૃત કરવામાં આવશે. આ મંડળ સમગ્ર ગુજરાતના આશરે ૨ લાખથી વધુ મંડળોમાંથી સર્વશ્રેષ્ઠ મંડળ તરીકે પસંદ થયેલ છે.
