આજે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે
Live TV
-
સાંસ્કૃતિક વૈભવનું પ્રતીક ગણાતા ગણેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન ગણેશના આગમનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, સરઘસ અને પરંપરાગત ઢોલ-નગારા સાથે કરવામાં આવી રહી છે. આ ઉત્સવ આગામી 11 દિવસ સુધી અનંત ચતુર્દશી સુધી ચાલુ રહેશે અને મોટી સંખ્યામાં લોકો આનંદ અને ઉત્સાહ સાથે તેમાં ભાગ લઈ રહ્યા છે.
