આણંદ : ગોકુલધામ નાર દ્વારા વિશ્વ ચકલી દિને ઉનાળાની શરૂઆતમાં 1000 પક્ષીજળ કુંડા વિતરણની શરૂઆત
Live TV
-
અલી સૈયદ, આણંદ : ગોકુળધામ-નાર મારફતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યાશ્રિત છે. "વર્લ્ડ સ્પેરો ડે" ઉજવવાની શરૂઆત 20 માર્ચ 2010ના રોજ કરવામાં આવી હતી.ત્યારથી 20 માર્ચના દિવસે વિશ્વચકલી દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવવસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સમાન્ય પક્ષી છે.વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે અને કમનશીબે હારી રહ્યું છે ત્યારે પક્ષીઓની ઉમદા સેવા માટે ગોકુલધામ-નારે પહેલ કરી કુંડા-વિતરણનો આજે પ્રારંભ કરેલ છે,જેમાં શૈલેષભાઇ પટેલ-તારાપુર(યુ.એસ.એ)નો સહયોગ પ્રાપ્ત થયો છે. ગોકુલધામના પૂ.શુકદેવસ્વામી, પૂ.હરિકેશવસ્વામી અને તારાપુરના ભૂપેન્દ્રભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિ સેવાશ્રમના બા-દાદાઓ કુંડાને બાંધવાના કાર્યસેવામાં જોડાયા હતા. પક્ષીઓને પાણી પીવાના એક હજાર કુડાંનું વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
