કમોસમી વરસાદને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ 3જી મે સુધી બંધ રહેશે
Live TV
-
કમોસમી વરસાદને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી તારીખ ત્રીજી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને માલ લઈને ન આવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ વરસાદના કારણે તલ, બાજરો, જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.
