કોરોના દર્દીઓને માનસિક હૂંફ મળી રહે તે માટે હેપીનેસ ગ્રૂપ દ્વારા કરવામાં આવી રહ્યો છે અનોખો પ્રયાસ
Live TV
-
હેપીનેસ ગ્રૂપની આ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને માનસિક હૂંફ મળી રહે તે આશયથી હેપીનેસ ગ્રૂપ દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. જે અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓના દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ લાવવા હેલ્પલાઇન શરૃ કરવામાં આવી છે. આ ગ્રુપમાં વિવિધ એનજીઓના સ્વયંસેવકો અને ડોકટર્સ વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે અને દર્દીઓને મૂંઝવતા પ્રશ્નોને નિવારી સાંત્વના આપી જીવનને ખુશહાલ બનાવવા માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. એક અઠવાડિયાથી કાર્યરત હેપીનેસ ગ્રૂપની આ સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
