ગાંધીનગરના ઘર વિહોણા મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવવા મેયર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત
Live TV
-
ગાંધીનગર વિસ્તારમાં રહેતા ઘર વિહોણા મધ્યમ વર્ગના લોકો માટે આવાસ બનાવવા મેયર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જેવા મેટ્રોસીટીમાં મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર બનાવવું ખૂબ જ મુશ્કેલ થતુ જઇ રહ્યું છે.
ગત સમયે જેટલા પણ લોકો લાભથી વિહોણા રહ્યા છે તેવા લોકો માટે ફરી એક વાર પ્લોટ ભાડે આપવાની જગ્યાએ રાહતદરે આવાસ યોજના બહાર મુકીને મધ્યમ વર્ગના લોકોને 2 BHK તથા 3 BHK ફલેટ આપી ઘરનું ઘર મળે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારીમંત્રી હર્ષ સંઘવી તેમજ ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે.
