જન ઔષધિ સુગમ એપ સાથે જોડાયેલા છે 11.74 લાખથી વધુ વપરાશકર્તાઓ
Live TV
-
4 ઓગસ્ટ,2021 ના રોજ અંદાજે 11.74 લાખ વપરાશકર્તાઓ જન ઔષધિ સુગમ એપ સાથે જોડાયેલા છે. એપ્લિકેશનના વપરાશકર્તાઓ દવાઓનાં નામ અને કિંમત, જેનરિક દવાઓ અને તેમની સમકક્ષ બ્રાન્ડેડ દવા વચ્ચેના ભાવોની સરખામણી, નજીકના પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર (PMBJK)નું સ્થાન, ગુણવત્તાની ખાતરી અને વ્યવહારોની વિગતો વગેરે વિશે વિગતો મેળવી શકે છે.
જન ઔષધિ સુગમ એપને નવી ટેકનોલોજીકલ પ્રગતિઓ સાથે નિયમિતપણે અપડેટ કરવામાં આવે છે જેથી તેને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવી શકાય. આ માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણો અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી.
