જામનગરમાં ભૂકંપના વધુ એક હળવા આંચકાથી લોકોમાં ગભરાટ
Live TV
-
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી જમીનમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે પણ જામનગર જિલ્લાના પંથકમાં ભૂકંપના એક હળવો આંચકા નોંધાયા હતા. આથી લોકોમાં ગભરાટ જોવા મળ્યો છે.
જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી જમીનમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે પણ જામનગર જિલ્લાના પંથકમાં ભૂકંપના એક હળવો આંચકા નોંધાયા હતા. આથી લોકોમાં ગભરાટ જોવા મળ્યો છે.
જામનગર જિલ્લામાં છેલ્લા દોઢ - બે માસ થી સમયાંતરે ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યાં છે.દરમ્યાન પરમ દિવસે રાત્રે ત્રણ વખત ધરતી માં પેટાળમાં સળવળાટ નોંધાયો હતો .
સતત બે દિવસ થી આવી રહેલા ભૂકંપ ના આંચકા માં ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે ૨.૩ ની તીવ્રતાનો આંચકો શહેરીજનો એ અનુભવ્યો હતો, જોકે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની ની કોઈ નુકશાની ની અહેવાલો મળ્યા નથી.
