જૂનાગઢ બહેનોએ બાળકોની રક્ષા અને લાંબા આયુષ્યની કામના સાથે માતા શીતળાની પૂજા અર્ચના કરી
Live TV
-
પ્રાચીન નગરી જૂનાગઢમાં અનેક જળ કુંડો આવેલા છે. તેમાં મૃગીકુંડ, દામોદર કુંડ, સરસ્વતી કુંડ, બ્રહ્મકુંડ, કમંડળ કુંડ વગેરેનો સમાવેશ થાય છે. એક માન્યતા પ્રમાણે માતાજીનું પ્રાગટ્ય થયું હોવાથી કુંડનું નામ શીતળા કુંડ રખાયું છે. ધાર્મિક પરંપરા મુજબ શીતળા સાતમના પવિત્ર તહેવારે માતા અને બહેનોએ બાળકોની રક્ષા અને લાંબા આયુષ્યની કામના સાથે માતા શીતળાની પૂજા અર્ચના કરી હતી. આ દિવસે માતાને નાગલા ચુંદડી ,શ્રીફળ તેમજ કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. માતાજીને રિઝવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે.
આ શીતળા કુંડ સ્થિત મંદિર લગભગ ૫૦૦ વર્ષ પુરાણું છે. સાતમ આઠમનું મહત્વ હિન્દુ ધર્મમાં અનેરું છે બહેનો સાતમાના દિવસે રાંધણ છટ્ઠના દિવસે રાંધવામાં આવેલા ખાદ્ય પદાર્થો અને ભોજન મા શીતળાને અર્પણ કરી પરિવાના આરોગ્ય માટે પ્રાર્થના કરે છે
