દિપેશ અને અભિષેકના મોત ડૂબી જવાના કારણે થયા હતા
Live TV
-
આસારામ આશ્રમમાં બનેલા દિપેશ અને અભિષેક અપમૃત્ય કેસમાં , રાજ્ય સરકાર દ્વારા તપાસપંચની નિમણૂંક કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં આ અંગેનો અહેવાલ ગઇકાલે રજૂ કરવામાં આવ્યો હતો. આ મામલે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જસ્ટીસ ડી. કે. ત્રિવેદીના અધ્યક્ષપદે તપાસપંચની રચના કરવામાં આવી હતી. જેમા જણાવવામાં આવ્યું હતું કે, દિપેશ અને અભિષેકના મોત, કોઇ તાંત્રિક વિધિના કારણે નહીં , પરંતુ ડૂબી જવાના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. જેમા સ્થાનિક પોલીસ કે, સીઆઇડી ક્રાઇમની કોઇ ભૂલ કે, ક્ષતિ જણાતી નથી.
