દિવાળીના પર્વ નિમિત્તે યાત્રાધામ અંબાજીની રોશનીથી શણગારાયુ
Live TV
-
દિવાળીએ અંબાજીના દર્શને યાત્રાળુઓની ભારે ભીડ
દિવાળી અને નવા વર્ષના તહેવારોના દિવસોમાં લોકોમાં તીર્થ સ્થાનોએ જઇ દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ દિવાળીના તહેવારોને લઇ અંબાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ રોશની દર્શનાર્થીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. એટલું જ નહીં દિવાળીના તહેવારોમાં અંબાજીમાં યાત્રીકોનો ભારે ધસારો રહેતો હોય છે. જેથી શ્રદ્ધાળુઓને માં અંબાના દર્શન અને આરતીનો લાભ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરમાં બેસતાં વર્ષ એટલે કે, કારતક સુદ એકમથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. આ ઉપરાંત બેસતા વર્ષનાં દિવસે નીજ મંદિરમાં 56 ભોગના અન્નકૂટ સહીત વિશેષ આરતીનું પણ આયોજન કરાયું છે.
