દેવનંદનદાસજી ગુરૂવર્ય પૂજ્ય બાપજીના દુઃખદ અવસાન, સીએમે પાઠવી શ્રદ્ધાંજલિ
Live TV
-
મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય બાપજીના આત્માની પરમશાંતિ માટે ભગવાન સ્વામીનારાયણને પ્રાર્થના પણ કરી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા SMVSના સંસ્થાપક પૂજ્ય શ્રી દેવનંદનદાસજી ગુરૂવર્ય પૂજ્ય બાપજીના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યકત કરીને તેમને શ્રધ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સદ્દગત પૂજ્ય બાપજીને શોકાંજલી પાઠવતા જણાવ્યું છે કે, સત્સંગ પ્રવૃત્તિઓના વ્યાપ અને ભારતીય સંસ્કૃતિના પ્રસાર માટે તેમણે આપેલું યોગદાન સદાકાળ ચિરંજીવ અને માર્ગદર્શક રહેશે. મુખ્યમંત્રીશ્રીએ પૂજ્ય બાપજીના આત્માની પરમશાંતિ માટે ભગવાન સ્વામીનારાયણને પ્રાર્થના પણ કરી છે.
