ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા રણ વિસ્તારની નજીક ચેક પોસ્ટ બનાવવામાં આવી
Live TV
-
ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક એસ.એસ.અસોડા ના હસ્તે ચેક પોસ્ટનું લોકાર્પણ
કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલો મીટર ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે.આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. આ રણ વિસ્તારનો ભાગ બધી બાજુથી ખુલ્લા હોવાથી લોકો નો પ્રવેશ થઈ શકે છે અને તેના કારણે રણ ની અંદર વન્ય જીવ તેમજ ઘુડખર નો શિકાર પણ કરવા લોકો આવતા હોય છે આ બાબતને ધ્યાનમાં રાખી ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય દ્વારા રણ વિસ્તારની નજીક ચેક પોસ્ટ બનાવવામાં આવી છે અને આ ચેક પોસ્ટ દ્વારા રણ ની અંદર પ્રવેશ કરનાર વ્યક્તિ ની નોંધ કરવામાં આવશે તેમજ રણ ની અંદર કામ કરતા અગરિયા લોકોને પણ મદદરૂપ થશે.ધ્રાંગધ્રા રેંજની અંદર આવેલ ચેક પોસ્ટનું લોકાર્પણ ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષક એસ.એસ.અસોડા ના હસ્તે કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં રણ ની ફરતે આવી બીજી દસ ચેક પોસ્ટ બનાવવાનું આયોજન અભયારણ્ય દ્વારા કરવામાં આવ્યું છે. હાલ ચોમાસાના કારણે આ વિસ્તાર બંધ હોય છે. જે આગામી 10 ઓક્ટોબર પછી પ્રવાસીઓ માટે ચાલુ થશે. આ ચેક પોસ્ટ થવાથી રણકાઠા ના ગામો જેવા કે નરાળી, નિમકનગર, કુડા, કોપરણી, જેસડા જેવા ગામના લોકો ખુશ હતા.