નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાતા ભરૂચ ખાતે પાણીની સપાટીમાં ધરખમ વધારો
Live TV
-
નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડાતા ભરૂચ ખાતે પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી સવારે 7 કલાકે 30 ફૂટને વટાવી ચૂકતા તંત્ર પણ ચિંતિત બન્યું છે. તંત્ર દ્વારા મહત્તમ નર્મદા નદીમાં ભરૂચ ખાતે પાણીની સપાટી 35 ફૂટ સુધી જવાની ધારણા પણ વ્યક્ત કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી નદી કાંઠા વિસ્તારમાં રહેતા કુલ 668 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નર્મદા નદીના સંભવિત પૂરને લઈ ભરૂચ, અંકલેશ્વરના કાંઠા વિસ્તારના 34 ગામોને ભારે અસર થવાના સંભાવના વ્યક્ત કરાઈ છે. તમામ નીચાણવાળા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
