નવસારી શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ગીલોય વેલ(ગળો)નું વિતરણ કરવામાં આવ્યું
Live TV
-
આયુર્વૈદમાં ઉત્તમ દવા માનવામાં આવે છે તેવો મનાતી ગળો અનેક પ્રકારના રોગો માટે ઉપયોગી છે
કોરોનાના રોગચાળાની ઝપટમાંથી બચવા ભારત સરકારના આયુષ મંત્રાલયની સૂચના મુજબ નવસારી શહેર ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ગળો એટલે કે ગીલોય વેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોને તેની વાવણી કરવા સમજાવાયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં તેની વાવાણી કરાઈ છે. આયુર્વૈદમાં ઉત્તમ દવા માનવામાં આવે છે તેવો મનાતી ગળો અનેક પ્રકારના રોગો માટે ઉપયોગી છે. આ અમુલ્ય ઔષધિ વિશે લોક જાગૃતિ આવે તે માટે નવસારી ભાજપ મહિલા મોરચાની બહેનોએ શેરીએ શેરીએ પહોંચી લોકોને તેની માહિતી આપી હતી. કોરોના વાયરસ સામે ગળો રક્ષણ પૂરું પાડતું હોવાથી આયુર્વેદ તરફ લોકોનો ઝોક વધ્યો છે..
