પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાતા લોકમેળાની તૈયારીઓ કરાઈ શરૂ
Live TV
-
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાતા લોકમેળાની તૈયારીઓ કરાઈ શરૂ
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાતા લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નપ્રસંગ નિમિતે યોજાતા લોકમેળાની પોરબંદરના વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી તારાખ 17થી 21મી એપ્રિલ દરમિયાન આ લોકમેળો યોજાશે. ત્યારે તંત્ર દ્વારા વિવિધ 29 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરીઓનું સંકલન થાય તેમજ સ્થાનિક કક્ષાએ પીવાનું પાણી, સ્વચ્છતા, પાર્કિગ વ્યવસ્થા, રસ્તાઓની મરામત, વીઆઇપી મહેમાનો માટે રહેવા-જમવાની વ્યવસ્થા, માહિતી અને કોમ્યુનિકેશનની વ્યવસ્થા સહિતની તમામ બાબતો અંગે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.