પ્રખ્યાત સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું આજે ગુરુગ્રામ ખાતે થયું નિધન
Live TV
-
પ્રખ્યાત સંતૂર વાદક પંડિત ભજન સોપોરીનું આજે ગુરુગ્રામ ખાતે નિધન થયું હતું. તેઓ ૭૪ વર્ષના હતા. તેઓ કેન્સરથી પીડિત હતા. ભજન સોપોરીએ આકાશવાણીના સંગીત નિદેશક તરીકે પણ પોતાની સેવા આપી હતી. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કશ્મીરી વાદ્ય સંતૂરને સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવવાનો શ્રેય પંડિત શિવકુમાર શર્માની સાથે ભજન સોપોરીને પણ જાય છે.
