ભાવનગરમાં આવતીકાલે રજાના દિવસે પણ સીટી મામલતદારની કચેરી ચાલુ રહેશે
Live TV
-
ભાવનગરના નગરજનો સવારે ૧૦ થી બપોરે ૨ વાગ્યા સુધી તમામ પ્રકારના દાખલાઓ કઢાવી શકશે
આવતીકાલે રજાના દિવસે પણ સીટી મામલતદારની કચેરી ખુલ્લી રહેશે. સીટી મામલતદાર કચેરી ખાતે આવેલ એ.ટી.વી.ટી. કેન્દ્ર ખાતે ભાવનગરવાસીઓ તમામ પ્રકારના દાખલા ચાલુ દિવસની જેમ કઢાવી શકશે. નાગરિકોને સોમવારના દિવસે વધુ પડતી ભીડનો સામનો ન કરવો પડે અને કોરોના સામે પણ સંરક્ષિત રહી શકાય તે માટે પ્રજાહિતમાં સીટી મામલતદારની કચેરી અડધો દિવસ માટે ચાલું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમ સીટી મામલતદાર ધવલ રવૈયાએ જણાવ્યું છે.
