મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ‘શ્રી પ્રવીણ દરજી પારિતોષિક’સમારોહ યોજાયો
Live TV
-
મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ‘શ્રી પ્રવીણ દરજી પારિતોષિક’ સમારોહ યોજાયો હતો. જેમાં, કવિ યોગેશ વૈદ્યના દીર્ઘકાવ્ય 'નેખમ'ને પ્રથમ પારિતોષિક એનાયત કરી સાહિત્યિક ગરિમા સાથે બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારે, આ પ્રસંગે મહારાજા સિદ્ધરાજસિંહ સોલંકી, પદ્મશ્રી પ્રવિણ દરજી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાં, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજન પટેલ, નગરપાલિકાના પ્રમુખ સહિત સાહિત્ય જગતના જાણીતા સર્જકો અને મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
