મહેસાણામાં પાલિકા દ્વારા બનાવેલા કુંડમાં 800 જેટલી મૂર્તિઓનું વિસર્જન
Live TV
-
મહેસાણા નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં છેલ્લા 6 દિવસમાં 800 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નગર પાલિકાના આ સુચારૂ આયોજનને પગલે નદી તળાવમાં મૂર્તિ વિસર્જન થી થતું પ્રદુષણ અટક્યું છે. અને નદી તળાવમાં ડૂબી જવાની ઘટનાઓ પણ બની નથી. પાલિકા દ્વારા કુંડમાં મૂર્તિ વિસર્જન કરતા ભક્તોને પ્રમાણપત્ર આપી ગણેશજીની નાની મૂર્તિ ભેટ રૂપે આપી પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો.
