મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના 75 વર્ષ પૂર્ણ થતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું યોજાયો
Live TV
-
મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના 75 વર્ષ પૂર્ણ થતા એલ્યુમની એસોસિયેશનના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોરબીમાં એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરવામાં આવે તેવા ઉદાત હેતુ સાથે રાજા લખધીરસિંહજીએ પોતાનો નજરબાગ પેલેસ કોલેજને ભેટ આપ્યો હતો. આ અધ્યતન નયનરમ્ય નઝરબાગ પેલેસ ઈ.સ. 1880 માં નિર્માણ પામ્યો હતો. આ તકે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના કોલેજ કાળના સંસ્મરણો તરોતાજા કર્યા હતા. તેમને ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવા માટે પણ જણાવ્યું હતું.
