યુનિસેફ અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ દ્વારા સ્ટ્રીંગર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
યુનિસેફ અને દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ દ્વારા સ્ટ્રીંગર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દૂરદર્શનમાં સમાચાર વિભાગમાં ફરજ બજાવતા સ્ટ્રીંગર્સનો વાર્ષિક કોન્ફરન્સ અમદાવાદ ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના સંવાદદાતાઓએ ભાગ લીધો હતો. કોરોનાના કપરાકાળમાં સંવાદદાતાઓએ સમાચાર વિભાગને આપેલી ફરજ અને નિષ્ઠાને અમદાવાદના નિયામક ધમેન્દ્ર તિવારીએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નાયબ નિયામક ઉત્સવ પરમાર અને ડીડી ન્યુઝના સંપાદક નિશીથ જોશીએ સ્ટ્રીંગર્સને દૂરદર્શન ન્યુઝમાં થઈ રહેલા વિવિધ ન્યુઝના વિવિધ કાર્યક્રમો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યા હતા.
