વસંત પંચમીના દિવસે આણંદના ખંભોળજ ચેહરધામ ખાતે ચેહર પ્રાગટોત્સવની ઉજવણી
Live TV
-
નવચંડી યજ્ઞ યોજાયો, શ્રીફળ હોમ,મહાપ્રસાદી,લીલુડા માંડવાનું આયોજન
આજે વસંતપંચમીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે..ત્યારે આજે માં ચેહરનો પ્રાગટોત્સવ પણ ઉજવવામાં આવે છે..આણંદના ખંભોળજ ગામે આવેલા ચેહરમાતાજીના ધામમાં વસંતપંચમીના દિવસે માં રાજ રાજેશ્વરી માં ચેહરના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી..આ ઉજવણી અંતર્ગત સવારે 9 કલાકે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ..જેમાં અનેક માઈભક્તોએ લાભ લીધો હતો..સાંજે 5 કલાકે શ્રીફળ હોમ અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યુ છે..મોટી સંખ્યામાં માઈભક્તો માં ચેહરના દર્શન કરવા અને નવચંડીનો લાભ લેવા ચેહરધામ ખાતે ઉમટ્યા હતા...રાત્રે લીલુડા માંડવાનું પણ આયોજન કરવામાં આવ્યુ.
મંદિરના નાગજીભાઈ રબારીએ જણાવ્યુ હતુ કે દર વર્ષે વસંત પંચમીના દિવસે ચેહરધામ ખાતે ચેહર પ્રાગટોત્સવ ઉજવાય છે..જેમાં માત્ર ખંભોળજ જ નહી પણ સમગ્ર ગુજરાતભરમાંથી માઈભક્તો દર્શન કરવા આવે છે..

